Home> India
Advertisement
Prev
Next

એક ભૂલ તમને પડી શકે છે ભારે!, રોજ 2 કરતા વધુ કેળા ઝાપટી જતા લોકો ખાસ વાંચે આ અહેવાલ

કોઈ પણ વસ્તુ જો જરૂરિયાત કરતા વધુ ખાવામાં આવે તો નુકસાન કરી શકે છે. આ વાત કેળા માટે પણ લાગુ થાય છે. જો કેળાનું સેવન લિમિટમાં કરવામાં આવે તો તેના ઉત્કૃષ્ટ ફાયદા છે પરંતુ જો વધુ પ્રમાણમાં કેળા ખાઓ તો તમે બીમાર પણ થઈ શકો છો.

એક ભૂલ તમને પડી શકે છે ભારે!, રોજ 2 કરતા વધુ કેળા ઝાપટી જતા લોકો ખાસ વાંચે આ અહેવાલ

નવી દિલ્હી: કોઈ પણ વસ્તુ જો જરૂરિયાત કરતા વધુ ખાવામાં આવે તો નુકસાન કરી શકે છે. આ વાત કેળા માટે પણ લાગુ થાય છે. જો કેળાનું સેવન લિમિટમાં કરવામાં આવે તો તેના ઉત્કૃષ્ટ ફાયદા છે પરંતુ જો વધુ પ્રમાણમાં કેળા ખાઓ તો તમે બીમાર પણ થઈ શકો છો. આજે અમે તમને વધુ પડતા કેળા ખાવાથી શું નુકસાન થઈ શકે છે તે જણાવીએ છીએ. કારણ કે કેળા બાળકોથી લઈને મોટા...બધાના ડાયેટમાં સામેલ હોય છે. 

fallbacks

Corona Update: શું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોના રસી મૂકાવી શકાશે? ખાસ જાણો જવાબ

વધુ પડતા કેળા ખાવાથી નુકસાન થાય છે
કહેવાય છે કે કેળાનું સેવન કરવાથી કબજિયાતમાંથી રાહત મળે છે. પરંતુ કાચા કેળા ખાવાથી કબજિયાતથી રાહત મળવાની જગ્યાએ સમસ્યા વધી શકે છે. અનેકવાર લૂઝ મોશન થાય તો ડોક્ટરો પણ કેળા ખાવાની સલાહ આપે છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે કેળાથી મોશન ટાઈટ થાય છે. આથી કાચા કેળા ન ખાઓ અને પાકા કેળા લિમિટમાં ખાઓ. 

શિયાળામાં મળતા શિંગોડા ખાવ અને આ તમામ તકલીફોથી રહો દૂર

વજન વધી શકે છે
વધુ પડતા કેળા ખાવાથી વજન વધી શકે છે. કારણ કે તેમા ફાઈબરની સાથે નેચરલ શુગર પણ હોય છે. બનાના મિલ્ક શેક વજન વધારનારું ફૂડ છે. આથી કેળા ખાતી વખતે ધ્યાનમાં રાખો કે તે વધુ પ્રમાણમાં સેવન ન કરો. 

કોરોનાના રસીકરણ અભિયાનમાં આવી શકે છે મોટી અડચણ, જાણો આ નવા વિવાદ 'Pork Gelatin' વિશે

શુગર લેવલ વધી શકે છે
ડાયાબિટિક કે પ્રો ડાયાબિટિક લોકો માટે વધુ પડતા કેળા ખાવા નુકસાનકારક બની શકે છે. કેળામાં નેચરલ શુગર હોય છે અને તમે જો તે વધુ પ્રમાણમાં લો તો તમારા શરીરનું શુગર લેવલ વધી શકે છે. તેનાથી તમને માથાનો દુ:ખાવો, અને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. આથી જેને પણ આ સમસ્યા હોય તે કેળાનું લિમિટમાં જ સેવન કરે. 

કોરોનાને માત આપ્યા બાદ આટલા સમય સુધી રહે છે શરીરમાં Antibody, વાયરસ સામે આપે છે રક્ષણ

આ લોકોએ ન ખાવા જોઈએ કેળા
વધુ કેળા ખાવાથી દાંતમાં સડો થઈ શકે છે. તેમાં શુગર અને સ્ટાર્ચ હોય છે. આ સાથે જ અમીનો એસીડ ટાઈરોસિન હોય છે, જે બોડીમાં જઈને ટાઈરામાઈન બની જાય છે. અને ટાઈરામાઈન માઈગ્રેનને ટ્રીગર કરી શકે છે. જે લોકોને અસ્થમા છે તેમણે પોતાના આહારમાં કેળાના સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી સોજો આવે છે અને એલર્જી પણ થાય છે. 

New Coronavirus Strain : કોરોનાનું આ નવું સ્વરૂપ કેટલું જોખમી? ભારતે કેમ સાવચેત રહેવાની જરૂર છે... ખાસ જાણો

રોજના કેટલા કેળા ખાવા જોઈએ
દરરોજ 1-2 કેળા ખાવામાં કોઈ મુશ્કેલી નથી. જે લોકો ખુબ વર્કઆઉટ કરે છે તેઓ દિવસમાં 3-4 કેળા ખાઈ શકે છે, પરંતુ તેનાથી વધુ કેળા ખાવાથી મુશ્કેલી પેદા થઈ શકે છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More